હરિવલ્લભ ભાયાણી
HARIVALLABH BHAYANI





🌹 ડો. હરિવલ્લભ ભાયાણી 🌹




જન્મ : 26-મે-1917 મહુઆ ( સૌરાષ્ટ્ર-ભાવનગર)

અવસાન : 11- નવેમ્બર 2000

પૂરું નામ : હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી

વતન : મહુઆ ( સૌરાષ્ટ્ર)

          પિતા : ચુનીલાલ
          માતા : ગંગાબહેન
          દાદી : પોતીબાઈ
        પત્ની : ચંદ્રકળાબહેન

કૃતિઓ :

          વૈજ્ઞાનિક સંશોધન અને સ્વાધ્યાય ના પુસ્તકો :
  • ➥ શબ્દકથા
  • ➥ વગ્વ્યાપાર
  • ➥ અનુશીલનો
  • ➥ થોડોક વ્યાકરણવિચાર
  • ➥ શબ્દ-પરિશીલન
  • ➥ વ્યુત્પત્તિવિચાર
  • ➥ ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ
  • ➥ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ,  1150 થી 1550 સુધી
  • ➥ ગુજરાતીભાષાનો કુળક્રમ
  • ➥ સંશોધન વિવેચનના પુસ્તકો :
  • ➥ શોધ અને સ્વાધ્યાય
  • ➥ કાવ્યમાં શબ્દ
  • ➥ અનુસંધાન
  • ➥ કાવ્યનું સંવેદન
  • ➥ રચના અને સંચારના
  • ➥ કાવ્યવ્યાપાર
  • ➥ કૃષ્ણકાવ્ય
  • ➥ કાવ્યકૌતુક
  • ➥ કાવ્ય પ્રપંચ
  • ➥ લોકસાહિત્ય ના પુસ્તકો :
  • ➥ લોક કથા ના મૂળ અને કુળ
  • ➥ સંશોધનની કેડીએ
  • ➥ કમળના તંતુ
  • ➥ લોક સાહિત્ય : સંપાદન અને સંશોધન (લોક ગીતો અને લોક કથાઓ નું તુલનાત્મક ઐતિહાસિક અધ્યન છે)


          પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંશોધનો સંપદાનો :
  • ➥ મદનમોહના (શામળ કૃત)
  • ➥ પાંડવલા અને ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો
  • ➥ રૂસ્તમનો સલોકો
  • ➥ સિંહાસન બત્રીસી
  • ➥ દશમસ્કંધ (પ્રેમાનંદ કૃત)
  • ➥ પ્રાચીન ગુર્જર કાવ્ય
  • ➥ હારી વેણ વાય છે રે હો વનમાં
  • ➥ નંદબત્રીશી (શામળ કૃત)
  • ➥ મધ્યકાલીન ગુજરાતી કથા કોષ
  • ➥ શીલોપદેશમાલા બાલાવબોધ
  • ➥ સંદેશક રાસ

          કોશ  :
  • ➥ ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પતિકોશ
  • ➥ મધ્યકાલીન ગુજરાતી કથાકોશ
  • ➥ પ્રાકૃત અપભંશ ક્રુતિ ના સંપાદન ગ્રંથ :
  • ➥ પઉમસિરિચરીય
  • ➥ અપભંશ વ્યાકરણ
  • ➥ નેમિનાહચરીય ભાગ -1,2
  • ➥ સણતુકુમારચરિત્ર

          ચાતક કથાઓ :
  • ➥ કમળના તંતુ –પ્રાચીન કથાઓનું આસ્વાધ્ય વાર્તા સ્વરૂપ

          અનુવાદ:
  • ➥ પ્રપા
  • ➥ મુકત માધુરી
  • ➥ અંગ્રેજી- studies in hemachandra’s deshinamamala
  • ➥ માહિરનો મુકતક
  • ➥ ગાથા મંજરી
  • ➥ મુકતક મકરંદ
  • ➥ જાતક કથાઓ


          આત્મકથા :
  • ➥ તે હી નો દિવસ


          અન્ય કૃતિઓ :
                  
  • ➥ ભાવના, વિભાવના
  • ➥ શોધ ઔર સ્વાધ્યાય
  • ➥ મુક્તક-મમરા
  • ➥ સેતુબંધ

       

સન્માન :

  • ➥ રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ➥ સાહિત્ય અકાદમી પુરસ્કાર
  • ➥ નર્મદ સુવર્ણચંદ્રક (કાવ્ય પ્રપંચ નિબંધ માટે)
  • ➥ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
  • ➥ નર્સિહ મહેતા એવોર્ડ
  • ➥ સાહિત્ય ગૌરવ પુરસ્કાર
  • ➥ માનદ ડી.લિટ. (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
  • ➥ ભુતપૂર્વ પ્રમુખ – ભારતીય પાચ્યવિધા પરિષદ

અન્ય માહિતી :

  • ➥ 1934 માં મહુવાની એમ.એન. હાઈસ્કૂલમાથી મેટ્રિક કર્યા બાદ તેમણે 1939 માં સંસ્કૃત વિષય સાથે બી.એ. અને 1941 માં સંસ્કૃત વિષયમાં ભારતીય વિધ્યાભવન, મુંબઈથી એમ.એ. ની પદવી મેળવી.
  • ➥ 1951 માં મુનિ જિનવિજયજી ના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય પઉમચરિય પર મહાનિબંધ દ્રારા પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી.
  • ➥ 1945 થી 1965 સુધી ભારતીય વિદ્યાભવનમાં તેઓ સંશોધક-અધ્યાપક રહ્યા હતા
  • ➥ 1965 થી 1975 ગુજરાત યુનિવર્સિટીના ભાષાસહિત્ય ભવન સમલગ્ન્ન હતા.
  • ➥ 1975 લાલભાઇ દલપતભાઈ પ્રાચીનવિદ્યામંદિર, અમદાવાદમા માનદ પ્રાદ્યાપક હતા.
  • ➥ 1980 માં તેઓ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ દ્રવિડિયન લીગ્વિસ્ટિક્સ, ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર રહ્યા હતા
  • ➥ ગુજરાતી સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રીય, વિવેચક, અનુવાદક,  હતા.
  • ➥ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિના સંપદનો કર્યા છે
  • ➥ ભાષાશાસ્ત્ર, વ્યાકરણ, અને મીમાંસા ને લગતા ઉતમ ગ્રંથ ગુજરાતી ભાષા સાહિત્યને આપ્યા છે
  • ➥ “પ્રપા માં સંસ્કૃત પ્રાકૃત-અપભ્રંશ કાવ્યોના અનુવાદ કર્યા છે
  • ➥ કમળ ના તંતુ” માં પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તા ના રૂપ માં આલેખ્યા છે
  • ભાષાવિમર્શ (ભાષવિજ્ઞાન વિષે નું સામાયિક) ના તંત્રી હતા